આ પ્રોજેક્ટ નાણાંકીય દૃષ્ટિએ સ્વાવલંબી છે, એટલે કે કોઈપણ સરકાર પાસે મેળવેલા ભંડોળ પર નિર્ભર રહ્યા વિના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય તે રીતે તેનું આયોજન કરવામાં આવેલ છે. પરત મેળવેલ જમીનનો નાનો હિસ્સો વ્યાવસાયિક વિકાસ તેમજ રિવરફ્રન્ટના વિકાસ અને વ્યવસ્થાપનની ચૂકવણી માટે પર્યાપ્ત સ્રોતોના સર્જન માટે વેચવામાં આવશે. રિવરફ્રન્ટ પર વિકસાવવામાં આવતાં ખાનગી બાંધકામોનું ઘનફળને આધારે વિશેષ કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિયમન કરવામાં આવશે જેથી સુનિશ્ચિત કરી શકાય કે રિવરફ્રન્ટ પરના બાંધકામનું વાતાવરણ સુગઠિત રહે અને સ્કાયલાઇન યાદગાર રહે.
ડેવલપમેન્ટ સાઇટ્સમાં વેચાણ અથવા લાંબા ગાળા માટે ભાડાપટ્ટે આપવા માટે સુનિશ્ચિત કરાયેલ જમીનના ટુકડાઓનો સમાવેશ થાય છે.