Redefines the Relationship between River and The City
Sabarmati Riverfront
Nurturing the Environment
Sabarmati Riverfront
A Paradise for Birds
Sabarmati Riverfront
A People Centric Public Asset
Sabarmati Riverfront
Making Events Come Alive
Sabarmati Riverfront
Unlease your fascination to experience the Seaplane Services
Sabarmati Riverfront
A New Landmark of Business Destination
પ્રોજેક્ટના હેતુઓ
પર્યાવરણને લગતા સુધારા
જળવિજ્ઞાન અને જળશક્તિના વિગતવાર વિશ્લેષણને આધારે પૂર સામે રક્ષણ, નદીકાંઠાની સુરક્ષા અને નદી પ્રશિક્ષણ માટેની યોજનાઓ નક્કી કરવામાં આવી છે. જળમાર્ગ માટે ઓછામાં ઓછી 263 મીટરની પહોળાઈ પસંદ કરીને અમલ કરવામાં આવી છે.
ખરા અર્થમાં સાર્વજનિક રિવરફ્રન્ટના નિર્માણ માટે,આનંદ પ્રમોદના વિવિધ સ્થળોની જોગવાઈ કરવામાં આવી છે જેમાં જાહેર બગીચાઓ, પ્લાઝા, ખુલ્લી જગ્યાનો સમાવેશ થાય છે. રિવરફ્રન્ટની સંપૂર્ણ લંબાઈને સમાંતર રાહદારીઓને ચાલવા માટેના માર્ગ….
સાબરમતી રિવરફ્રન્ટ, જે અમદાવાદીઓ માટે જાણીતું ફરવાનું સ્થળ છે એ પક્ષીઓ માટે પણ પસંદગીનું સ્થળ છે. રિવરફ્રન્ટ પર સ્થાનિક ઉપરાંત સ્થળાંતરિત પક્ષીઓની આશરે ૧૨૦ પ્રજાતિઓ આવે છે. જેમાં ફ્લેમિંગો, બગલો, ચીબરી, કાળો માંજર , જાંબલી શક્કરખરો, બ્રાહ્મણી બતક , ખાડીઓ તેતર ,સમડી , શકરો, ગુલાબી વૈયું , ટીટોડી, દેશી કાગડો , વગેરે પક્ષીઓ નો સમાવેશ થાય છે. રિવરફ્રન્ટ પક્ષી પ્રેમીઓ માટે પક્ષીઓને નિહાળવા માટેનું એક નવું પસંદગીનું સ્થળ છે.
મે ૧૯૯૭ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (અ.મ્યુ.કો.) યોજનાના નિર્માણ અને વિકાસના પ્રબંધન માટે ખાસ હેતુ વાહન તરીકે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) કંપનીનું નિર્માણ કર્યું.
આ પ્રોજેક્ટ સાબરમતી નદીના કાંઠે નદીકિનારાનું અર્થપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો અને નદીની ફરતે અમદાવાદની ઓળખ પુનઃવ્યાખ્યાયિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ પ્રોજેક્ટનો ધ્યેય શહેરને નદી સાથે પુનઃ જોડવાનો અને રિવરફ્રન્ટના અવગણના કરાયેલા પાસાઓમાં સકારાત્મકરૂપે પરિવર્તન આણવાની નેમ ધરાવે છે.
ઇ.સ.૧૪૧૧ માં અમદાવાદની સ્થાપનાના સમયથી સાબરમતી નદી શહેરનું અવિભાજ્ય અંગ રહી છે. પાણીનો મહત્વનો સ્રોત હોવા ઉપરાંત, તેણે સાંસ્કૃતિક અને આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં રંગમંચ તરીકે ભાગ ભજવ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટનો યોગ્ય વિકાસ કરવાથી અને પૂરતા પ્રમાણમાં બુનિયાદી સુવિધાઓનું નિર્માણ તેમજ આનંદ પ્રમોદની સુવિધાઓનું નિર્માણ થવાથી એક મહત્વપૂર્ણ અસ્ક્યામતમાં પરિવર્તિત થયો છે.
શહેરીજનો તેમજ પર્યટકો નીચેના સ્થળોની મુલાકાત લઇ આનંદ માણે છે.