સાબરમતી બારમાસી નદી ન હોવાને કારણે,વર્ષ દરમિયાન નદીમાં પાણીના વ્યવસ્થાપન અને સંગ્રહ માટેની વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદની પાસે આવેલ વાસણા બેરેજ, શહેરમાં નદીની સમગ્ર લંબાઈ જેટલું જ, અપ સ્ટ્રીમમાં ૧૫ કિલોમીટર સુધી પાણીનો સંગ્રહ કરવાનું શક્ય બનાવે છે. નર્મદા કેનાલ કે જે શહેરની અપ સ્ટ્રીમમાં થોડા કિલોમીટરના અંતરે નદીને ઓળંગે છે, તે સિંચાઇ માટેના વપરાશ અથવા બાષ્પીભવન અને ઝમવાને કારણે ગુમાવેલ પાણીને ફરીથી ભરી દે છે.